ભોપાલ: એક હચમચાવી નાખે તેવી ઘટનામાં 8 મજૂરોના દર્દનાક મોત થયા છે જ્યારે 50 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મધ્ય પ્રદેશના ગુનામાં ગત રાતે જે ટ્રકમાં મજૂરો મુસાફરી કરી રહ્યા હતાં તે ટ્રકની બસ સાથે ભીડંત થતા ભયંકર અકસ્માત સર્જાયો જેમાં 8 મજૂરોએ જીવ ગુમાવ્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના ગુનાના કેન્ટ પીએએસ વિસ્તારમાં ઘટી. હાલ મજૂરો લોકડાઉન દરમિયાન કોઈ પણ ભોગે પોતાના વતન પાછા ફરવાની જીદ્દે ચડ્યા છે. પગપાળા કે પછી કોઈ પણ અન્ય સાધન, બસ, ટ્રેન દ્વારા તેઓ ઘરે પાછા ફરી રહ્યાં છે. આજે વહેલી સવારે આવો જ એક અકસ્માત ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં થયો જેમાં 6 મજૂરોએ જીવ ગુમાવ્યાં. 


UP: મુઝફ્ફરનગરમાં રોડવેઝની બસે પગપાળા માદરે વતન જઈ રહેલા મજૂરોને કચડ્યા, 6ના મોત


એવું કહેવાય છે કે તમામ મજૂરો પંજાબમાં કામ કરતા હતાં અને બિહાર જઈ રહ્યાં હતાં. મજૂરો પગપાળા જ ગુરુવારે મુઝફ્ફરનગર કોતવાલીના સહારનપુર રોડ પર પહોંચ્યા હતાં. ત્યારે જ એક રોડવેઝની બસે તેમને કચડી નાખ્યાં. આ ઘટનામાં 6 મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે બે ઘાયલ થયા છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube